THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
આંગણવાડી કેન્દ્રો દ્વારા જે ટેકહોમ રાશન આપવામાં આવે છે એ આ વિપરીત પરિસ્થિતિમાં પણ આંગણવાડી બહેનો દ્વારા ઘરે ઘરે જઈ ને વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમણના રોકથામના આદેશનું પાલન કરતા આંગણવાડી કેન્દ્રો ને બંધ રખાય છે, માટે બાળકો ને, સગર્ભા અને ધાત્રી બહેનોને અને કિશોરીઓને ટેક હોમ રાશન બાલ શક્તિ, માતૃ શક્તિ અને બાલ શક્તિ ઘરે ઘરે જઈ ને આપવામાં આવી રહ્યું છે. આંગણવાડી કેન્દ્રોમાં પંજીકૃત 3 થી 6 વર્ષ ના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન નથી અપાય રહ્યો એટલે તેના બદલે તેઓને પણ હાલમાં ટેક હોમ રાશન બાલ શક્તિ નું વિતરણ થઈ રહ્યું છે.