પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર, પાંચવાડા – 44, જાંબુવા – 40, ઝરીબુઝર્ગ – 33, મીનાક્યાર – 37, ગાંગરડી – 27, પાટીયા – 36 આમ કુલ 217 દર્દીઓને ONGC કંપનીએ નિક્ષય મિત્ર બનીને પોષણ કીટનું વિતરણ કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારત અભિયાન 2025 અંતર્ગત દાહોદ જિલ્લામાં ગરબાડા તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર, પાંચવાડા – 44, જાંબુવા – 40, ઝરીબુઝર્ગ – 33, મીનાક્યાર – 37, ગાંગરડી – 27,પાટીયા – 36 આમ, કુલ 217 દર્દીઓને ONGC કંપનીએ નિક્ષય મિત્ર બનીને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણનું આયોજન ONGC કંપની દ્વારા નિક્ષય મિત્ર બનીને કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ ટીબીથી પીડિત દર્દીઓને પોષણ પૂરું પાડવા માટે સહાય આપવામાં આવે છે, જેથી તેઓ ઝડપથી સાજા થઈ શકે. ટીબી દર્દીઓને યોગ્ય પોષણ મળી રહે અને સારવાર દરમ્યાન તેમની તંદુરસ્તી જળવાઈ રહે. પોષણ કીટ વિતરણમાં ચોખા, તુવર દાળ, તેલ, ઘઉંનો લોટ, પ્રોટીન પાવડર, મગ, મગની દાળ, ગોળ, ખજૂર, ચણા જેવી વસ્તુઓ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ONGC ના HR મેનેજર, કંપનીના HR એક્ઝિક્યુટિવ તથા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો, તાલુકા ટીબી સુપરવાઈઝર, પિરામલ ફાઉન્ડેશન કોમ્યુનિટી કોર્ડીનેટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર, એમ.પી.એચ. ડબલ્યુ, આશા બહેન તથા ટીબી દર્દીઓ હાજર રહ્યા હતા. આમ, પ્રધાનમંત્રીનાં ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા દરેક વ્યક્તિ જોડાય અને ટીબીના દર્દીઓને મદદરૂપ થાય. તે ખુબ જ જરૂરી છે.