Sunday, February 2, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જીલ્લામાં કોરોના પોઝીટીવની સ્થિત યથાવત રહેતા કુલ 23 પોઝીટીવ કેસ જાહેર...

દાહોદ જીલ્લામાં કોરોના પોઝીટીવની સ્થિત યથાવત રહેતા કુલ 23 પોઝીટીવ કેસ જાહેર થયા, એક્ટિવ કેસની સંખ્યા 287

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જીલ્લામાં આજે તા. 04/08/2020 ને મંગળવારના રોજ 09 વ્યક્તિઓના કોરોના પોઝીટીવ થયાની જાહેરાતની સાથે કોરોના કેસોનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. ત્યારે RTPCR માં 14 વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા રેપિડ ટેસ્ટમાં પોઝીટીવ આવતા આજ રોજ કુલ 23 વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવેલ છે. દાહોદ જિલ્લામાં ગત 24 કલાકમાં કુલ 130 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેનો આજે રિપોર્ટ આવતા કુલ 130 પૈકી 121 વ્યક્તિઓના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને 09 વ્યક્તિઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, ત્યારબાદ આજે રેપિડ ટેસ્ટમાં કુલ 65ag Test માં 14 વ્યક્તિઓના સેમ્પલનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને આ રેપિડ ટેસ્ટના રિપોર્ટ આવતા કુલ આંકડો 666 પર પહોંચી ચુક્યો છે. જ્યાંરે 34 વ્યક્તિઓ સરકારી ગાઈડલાઈન મુજબ સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને એક્ટીવ કેસોની સંખ્યા વધીને 338 પર પહોચી ચુકી છે. તથા મૃત્યુ દરની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે કુલ 04 વ્યક્તિઓ અને અન્ય બીમારીને કારણે કુલ 37 વ્યક્તિઓ મળીને કુલ 41 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ, દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ આજે યથાવત રહ્યુ હતુ.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આરોગ્ય વિભાગે દ્વારા ગત 24 કલાક પહેલા કલેક્ટ કરેલ અને આજના રેપિડ ટેસ્ટ મળી કુલ 195 સેમ્પલો તપાસ અર્થે મોકલ્યા હતા જે પૈકી 172 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને 23 વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. જેેેઓના નામ : (1) ભુપેન્દ્ર કનૈયાલાલ પુવાર, (2) ફાતેમા હુસેની કાજી, (3) હુસેની સેફુદ્દીન બાગવાન (4) જેહરાબેન મુર્તુજા ભાટીયા, (5) નિલેષ નારણભાઇ માળી, (6) દ્રોપદીબેન પ્રભુદયાળ વર્મા, (7) મનોજ શિવલાલભાઈ પંચાલ, (8) શ્રેયષ મનોજભાઇ પંચાલ અને (9) સંગીતાબેન હિતેશભાઇ પંચાલ તેમજ રેપિડ ટેસ્ટમાં : (10) કરણસિંહ એસ. ડામોર (11) ઈંદિરાબેન કે. ડામોર, (12) પુર્વી કે. ડામોર, (13) દ્રષ્ટી કે. ડામોર, (14) રાજેશભાઈ હજારીપ્રસાદ અગ્રવાલ, (15) અબ્દુલકાદીર એચ. સાયકલવાલા, (16) સાકરી એમ. મેકબહાદુર, (17) જવસિંગ પરમાર (18) મોનિકાબેન ધર્મેન્દ્રભાઈ લીમડીવાલા, (19) અસ્મિતાબેન કે. પરમાર (પુર્વ નગરપાલિકા કાઉન્સિલર, નગર પાલિકા, દાહોદ) નું આજ રોજ બપોરના મૃત્યુ થયેલ છે, (20) અલેફિયા બુરહાન રાણાપુરવાલા, (21) સત્યન મહેશકુમાર પંચાલ, (22) પુજા દોહરે અને (23) હિતેશભાઇ પંચાલનાઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ જાહેર થયેલ છે. આમ આ 23 જેટલાં પોઝીટીવ કેસો જાહેર થયાની સાથે જ આ તમામ વ્યક્તિઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ કોના કોના સંપર્કમાં આવેલ છે. તેની માહિતી એકત્રિત કરવામાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર જોતરાઈ ગઈ હતી. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આજ રોજ દાહોદ જિલ્લામાં 23 વ્યક્તિ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા 666 થઈ છે અને આજ રોજ કુલ 34 વ્યક્તિ સરકારી ગાઈડ લાઇન મુજબ સજા થતાં રોજ કુુુલ 338 વ્યક્તિઓ સાજા થઈ તેમના ઘરે પરત ગયેલ છે. જ્યારે કોરોના પોઝીટીવ એક્ટિવ કેસની સંખ્યા કુલ 287 પર પહોચી ગઈ અને જિલ્લામાં મૃત્યુનો કુલ આંકડો 04 અને અન્ય બીમારીને કારણે કુલ 37 વ્યક્તિઓ મળીને કુલ 41 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments