લગ્ન બાદ 20 દિવસ જતા પરણીતાને પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપતા પરણિતાએ ગળે ફાંસો ખાઈ મોત વહાલું કર્યું.
ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામે ગત 31 મે રાત્રીએ એક નવ પરણિત મહિલાએ પતિના ઘરમાં ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ મોત વહાલું કરતા તેની સુખસર પોલીસ સ્ટેશનમાં પતિ સામે શારીરિક માનસિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કરવા સંદર્ભે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામના સુરેશભાઈ મગળાભાઈ વાદીના પુત્ર અક્ષયના લગ્ન ઝાલોદ તાલુકાના ગામડી ગામના દિનેશભાઈ અકુડાભાઇ વાદીની પુત્રી પૂજાબે ઉંમર વર્ષ 19 સાથે 28 એપ્રિલ 25 ના રોજ સમાજના રિવાજ પ્રમાણે કરવામાં આવ્યા હતા.લગ્નના વીસ દિવસ સુધી પૂજાને સારી રીતે ઘરમાં રાખ્યા બાદ પૂજાબેનને તેનો પતિ અક્ષય બહારગામ મજૂરી અર્થે લઈ ગયેલ.જ્યાં અક્ષય સાંજના સમયે પરત તેઓ જ્યાં રહેતા હતા ત્યાં મોડી રાત સુધી નહીં આવતા આટલી મોડી રાત સુધી તમે ક્યાં ફરો છો? તેમ પૂછતા પતિ અક્ષય દ્વારા પત્ની પુંજાબેનને મારામારી કરી જણાવતો હતો કે તું મને ગમતી નથી,મારે બીજી પત્ની લાવવી છે.તું અહીંયાથી જતી રહે તેમ જણાવી ત્રાસ આપતા આ વાત પૂજાબેને તેના પિતાને કરેલ.જ્યારે પૂજાબેનના પિતાએ તમો બહારગામ થી ઘરે આવતા રહો તેમ જણાવતા ત્રણેક દિવસમાં પૂજા તથા અક્ષય પરત ઘરે આવતા રહ્યા હતા.ત્યારબાદ પૂજાને તેના માસી સાસુ તથા તેનો દિયર તેના પિયર ગામડી ગામે મુકવા લઈને ગયેલ.જ્યાં પૂજાના માસી સાસુ તથા દિયરને પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે, અક્ષય ઘરમાં તકરાર કરે છે.અને અમો પૂજાને મૂકવા આવ્યા છીએ.થોડા દિવસ પૂજાને તમારા ઘરે રહેવા દો તેમ જણાવી પૂજાને તેના પિતાના ઘરે મૂકી આવ્યા હતા.
ત્યારબાદ પૂજાના પિતા બહાર ગામ મજૂરી કામે જવાના હોય રૂપાખેડા ગામે પૂજાના સાસરિયાઓને જણાવેલ કે,હું બહારગામ જવાનો છું,અને પૂજાનો જે-તે નિકાલ કરી જાઓ કે,બોલાવી જાઓ તેમ જણાવતા રૂપાખેડાની પંચો ગામડી ગામે ગયેલ.જ્યાં રૂપાંખેડા તથા ગામડીની પંચોએ મળી અક્ષયને હવે પછી તકરાર નહીં કરવા સમજાવી દીકરીને હેરાન નહીં કરવા જણાવી પૂજાને સમજાવી 28 મે 2025 ના રોજ તેના સાસરિયાઓ સાથે રૂપાખેડા ગામે મોકલી આપવામાં આવી હતી. ત્યારબાદ 31 મે 2025 ના રોજ રાત્રિના સમયે પૂજા બેને ઘરમાં લોખંડની એંગલ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાતા મોત નીપજ્યું હતું આમ પતિનો ત્રાસ નહીં થતાં અને પરણીતાને મરવા માટે મજબૂર કરતા પરણીતાએ ઢાળિયામાં લોખંડની એંગલ સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
ઉપરોક્ત બાબતે મૃતક પૂજાબેનના પિતા દિનેશભાઈ અકુડાભાઇ વાદી રહે.ગામડી,તા. ઝાલોદ નાઓએ ફરિયાદ આપતા અક્ષયભાઈ સુરેશભાઈ વાદી રહે.રૂપાખેડા,તા.ફતેપુરાના ઓની વિરુદ્ધમાં શારીરિક માનસિક ત્રાસ આપી મરવા માટે મજૂર કરવા સંદર્ભે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.જ્યારે આ બનાવની તપાસ સુખસર પી.એસ.આઇ એમ એચ. નિસરતા કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.