ચાલો કરીએ રકતદાન, મળશે કોઈને જીવતદાન
દેશની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને દાહોદ પંચાલ સમાજ નવયુવક મંડળ દાહોદ દ્વારા વિશ્વકર્મા મંદિરના દ્વિતીય પાટોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે “માય બ્લડ સેન્ટર” ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ મંદિરના પ્રાંગણમાં યોજવામાં આવ્યો હતો.
રક્તદાન માટે પંચાલ સમાજની મહિલાઓની અનોખી પહેલ જોવા મળી હતી. જેમાં મહિલાઓએ પહેલી વખત રક્તદાન કરી સિંદૂર માત્ર શૃંગાર નહીં પણ સેવા અને સામર્થ્યનું પ્રતીક છે, તે પુરવાર કર્યું હતું.
આ સાથે મોટી સંખ્યામાં યુવાનોએ પણ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. રકતદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા સાંજે 5.00 થી 08:00 વાગ્યા સુધીમાં કુલ 30 જેટલી બોટલ બ્લડ ડોનેટ કરીને દેશ પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્રભક્તિ નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.