Alpesh Vahuniya – Sukhsar
ફતેપુરા તાલુકાના સુખસરખાતે મારગાળા કો્સીગ ઉપર રહેતા કૈલાશબેન માનસીગ ભાઈ ભાભોર ઉવ.૩૦ની ૪/૪/૨૦૧૬નારોજ કોઇક કારણોસર ગંભીર રીતે શરીરે દાઝી ગયા હતા. તેઓને સંતરામપુર અને ત્યાંથી ગોઘરા અને ત્યાંથી પણ વઘુ સારવાર માટે વડોદરા ખાતે માટે લઈ જવામા આવ્યા હતા .જ્યા સારવાર દરમ્યાન ગત રોજ કૈલાશબેનનુ મોત નિપ્જ્યું હતું . કૈલાશબેન કેવી રીતે અને કયા કારણો સર દાઝયા તેની તરેહ તરેહ ની ચચૉઓ સુખસર પંથકમાં થઈ રહી છે.
લોકોમાં આ એક અકસ્માત મોત માનવા તૈયાર નથી અને જેથી આ બાબતે પોલીસ ફરિયાદ થાય અને પોલીસ ઝીણવટ પુવઁક તપાસ કરે તો કાઈક અકબંધ રહસ્ય ખુલી શકે તેવી શકયતા જણાઈ રહી છે.સમગ્ર પંથકમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.શું આ ઘટના ની હકીકત બહાર આવશે ? શું આ બનાવ અંગે ફરિયાદ થશે ? કે કેમ આવા અનેક લોકોના મનમાં છે.