Monday, September 15, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદના છાપરી ખાતે આવેલ કમલમં ખાતે દાહોદ જિલ્લા ભાજપ દ્વારા મનકી બાતના...

દાહોદના છાપરી ખાતે આવેલ કમલમં ખાતે દાહોદ જિલ્લા ભાજપ દ્વારા મનકી બાતના 100માં એપિસોડ ની તૈયારીઓ પૂર્ણ, પત્રકાર પરીષદનું થયું આયોજન 

આજે તા.૨૯/૦૪/૨૦૨૩ ને શનિવારના રોજ દાહોદના છાપરી ગામે આવેલ કમલમ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “મન કી બાત” ના 100 માં એપિસોડની ચર્ચાઓને લઈ આ પત્રકાર પરિષદમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જિલ્લા મીડિયા સેલના કન્વીનર શેતલ કોઠારી, જિલ્લા મીડિયા સેલના સહકન્વીનર નેહલ શાહ અને દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સિનીયર હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

આ પત્રકાર પરિષદના આવતી કાલ તા.30 એપ્રિલ 2023 રવિવારના રોજ પ્રવાસી કાર્યકારતાઓ TV, LCD, રેડિયો નિશ્ચિત સ્થળો પર લઈ જઈ નક્કી કરેલા બુથોના સ્થળ પર 100માં મન કી બાત કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે અને બધા ભેગા મળી તેની ઉજવણી કરશે. આં ઉપરાંત વિશેષ આયોજન જિલ્લાના દરેક શક્તિ કેન્દ્રના એક બુથમાં વિશિષ્ટ કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ ભાજપા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે જેને લઈ આજ રોજ દાહોદ કમલમ ખાતે હોદ્દેદારોની ઉપસ્થિતીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં જિલ્લા પ્રમુખ શંકર અમલિયારે વિસ્તૃત માહિતી આપી હતી અને ત્યારબાદ આભાર વિધિ જિલ્લા મીડિયા સેલ સહ કનવીનર નેહલ શાહ દ્વારા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

403 Forbidden

403

Forbidden

Access to this resource on the server is denied!


Proudly powered by LiteSpeed Web Server

Please be advised that LiteSpeed Technologies Inc. is not a web hosting company and, as such, has no control over content found on this site.

1