HIMANSHU PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક એવા આપણા દાહોદ શહેર માટે ગૌરવ ગણાય તેવા ડો. મેહુલ શાહ તથા ડો. શ્રેયા શાહની તેમના આંખોની તબીબી ક્ષેત્રની સંનિષ્ઠતાને લઈને વર્ષમાં એક જ વખત યોજાતી આંખની ઈજા સંદર્ભે રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ આ વખતે દાહોદના દ્રષ્ટિ નેત્રાલય ખાતે તારીખ ૧૬/૦૯/૨૦૧૭ અને તારીખ ૧૭/૦૯/૨૦૧૭ શનિવાર અને રવિવારના રોજ યોજાનાર છે. આ વર્કશોપમાં ભારતભર માંથી આંખની ઈજાની સારવાર કરનારા 300 નામાંકિત તબીબો ઉપસ્થિત રહેશે. તે માટે દાહોદના આ તબીબ દંપતિને દાહોદનું નામ સતત રોશન કરતા રહેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન….