KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ, ગોવિંદ નગર ખાતે આવનાર તા. ૨૩/૦૯/૨૦૧૭ શનિવારના દિવસે સવારના ૧૧:૦૦ કલાકે ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશના પ્રમુખ ડો. ઋત્વિજભાઈ પટેલના અધ્યક્ષતા હેઠળ આવનાર વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં દાહોદ ખાતે વિજય ટંકાર યુવા સંમેલન યોજાનાર હોવાથી મોટી સંખ્યામાં ભાજપના યુવા નેતાઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેનાર છે તેવું દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ કરણસિંહ ડામોર દ્વારા અમારા NewsTok24 ના રિપોર્ટરને જણાવવામાં આવ્યું હતું.