દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના જામરણ ગામના બારીયા ફળીયા ખાતે રહેતા શંકરભાઇ પ્રતાપભાઇ રાઠવાની ૨૧ વર્ષીય દીકરી નામે અમિતાબેન રાઠવા તા.૦૪/૦૨/૨૦૨૫ ના રોજ પોતાના ગામ જામરણ ખાતેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ છે, જેની તપાસ કરવા છતાય આજ દિન સુધી મળી આવેલ નથી.
ગુમ થનાર અમિતાબેન રાઠવાનું વર્ણન આ પ્રમાણે છે. ઉમર : ૨૧ વર્ષ, – ધંધો : ઘરકામ, – રહેઠાણ : જામરણ ગામ (બારીઆ ફળીયુ) તા.દેવગઢ બારીઆ, જી.દાહોદ, – પહેરવેશ : શરીરે કાળા રંગનો પંજાબી ડ્રેસ પહેરેલ છે., શરીરનો બાંધો : મધ્યમ, – ઉંચાઇ : આશરે સવા પાંચ ફુટ, – વર્ણ : રંગે સાધારણ શ્યામ વર્ણ, – અન્ય ઓળખ : મોઢુ ગોળ, વાળા કાળા અને માથે વાળનો અંબોડો બાધે છે. તેણી હિન્દી – ગુજરાતી ભાષા જાણે છે.
ગુમ થનારની ભાળ મળ્યે સાગટાળા પોલીસ સ્ટેશન પર મોબાઈલ નંબર ૬૩૫૯૭૨૫૯૫૨, ત.ક.અ મો.નં. ૯૧૦૬૪૭૮૬૩૯ , પો.સબ.ઇન્સ. મો.નં- ૯૯૧૩૧૨૦૩૭૭ પર જાણ કરવા અ.હે.કો. એસ.એસ.બારીઆ સાગટાળા પો.સ્ટે. દ્વારા જણાવાયું છે.