ઝાલોદ નગરમાં લોક મુખે ચર્ચાનો વિષય, નગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલ ભૂગર્ભ ગટર યોજના શોભાના ગાંઠિયા સમાન

0
558

 THIS NEWS IS SPONCERD BY – – RAHUL HONDA 

  • ભૂગર્ભ ગટર યોજનાનાં પાણીનો કોઈ નિકાલ નહિ.
  • ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં જ ગટરના દૂષિત પાણીના નિકાલ, અને ફિલ્ટર પ્લાન્ટ દ્વારા ગટરનું તે જ દૂષિત પાણી નગરમાં પીવા અને વાપરવામાં આપવામાં આવતા નગરજનોમા ઉગ્ર રોષ જોવા મળ્યો.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદમાં નગર પાલિકા વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના બનાવવામાં આવેલ છે. જેમાં સમગ્ર ઝાલોદ નગરમાં ભુગર્ભ ગટર યોજનાના દૂષિત પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ કુવો પ્રાંત અને મામલતદાર ઓફીસની બાજુમાં જ બનાવવામાં આવેલ છે, જે શોભાના ગાંઠિયા સમાન છે. એક બાજુ જ્યારે ગટરનું દૂષિત પાણી સંપની બાજુમાં ખુલ્લા છોડવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ માછણ ડેમમાંથી સંપમાં પાણી પાડવામાં આવે છે. એ જ પાણી ઝામી અને એ સંપમા જ જાય છે અને એ જ પાણી ઝાલોદ નગરના તમામ વિસ્તારોમાં આપવામાં આવે છે. હવે જોવાનું એ રહ્યું કે આ દૂષિત પાણી કયાર સુધી નગરના લોકો પીતા રહેશે કે નગર પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર આના ઉપર કોઈ એક્શન લઈ ભૂગર્ભ ગટરના દૂષિત પાણીનો નિકાલ લાવશે ખરા ? તેવું લોકમુખે ચર્ચાનો વિષય બનાવ પામ્યો છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here