દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ ટીબીના કુલ ૩૩ દર્દીને દત્તક લઈ ન્યુટ્રિશન કીટનું વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અન્વયે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે.
યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્ર, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંસ્થાઓ કે સામાજીક કાર્યકર, કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે દત્તક લઈ શકે છે. જે અન્વયે આજે તા.૧૪/૦૨/૨૦૨૩ ને મંગળવારના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રેટિયા ખાતે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા કુલ ૩૩ ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવામાં આવી હતી અને તેમણે દર્દીઓને દત્તક લીધા હતા.
આ કાર્યક્રમમા રેટીયા ગ્રામ પંચાયતના સરપંચ અનિલભાઈ માવી, જીલ્લા ક્ષય અઘિકારી ડૉ.આર.ડી. પહાડીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ભગીરથ બામણિયા, મેડીકલ ઓફીસર ડૉ.કિંજલ નાયક, આરોગ્ય કર્મચારીઓ સહિત દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.