ધનસુરા ચાર રસ્તા આંતરરાજયના લોડીંગ વહોને ની વધારે અવર જવર હોઈ ધનસુરા મોડાસા બાયડ અમદાવાદ રોડ ઉપર માર્ગ મકાન ધ્વારા તાત્કાલિક ડીવાઈડર બનાવવા માંગ ધનસુરાના લોકેએ કરી છે. મુખ્ય તો ધનસુરાની મોટા ભાગ ની શાળાઓ આજ માર્ગ ઉપર આવેલ છે જેમ 4 શાળાઓમાં આશરે 5000જેટલા વિદ્યાર્થીઓ ભણે છે. વારંવાર આ રોડ ક્રોસ્સ્સિંગ કરતી વખતે નિર્દોષ વિદ્યાર્થીઓ આ અભાવ ની ભેટ ચડે છે. તેથીજ આ રસ્તા ઉપર તાત્કાલિક ડીવાઈડર બનાવવામાં નહિ આવે તો ધનસુરા સરપંચ ત્રીવેલીબેન પટેલ એ કહ્યુચે કે તેઓ ગ્રામ જનો સાથે મળી અને ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવશે કારણ કે માર્ગ મકાન વિભાગમાં વારંવાર રજુઆતો છતાં અને લેખિતમાં અરજીઓ પછી પણ આ બાબતને ધ્યાને લેવાતી નથી.
