દાહોદ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ત્રણ રથ ગામે ગામ પરિભ્રમણ કરી રહ્યાં છે જેમાં ઝાલોદ તાલુકાના પ્રથમપુર ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ઝાલોદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરાયું હતું અને વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું છે. વંદે ગુજરાત વિકાસ યાત્રાના ત્રણે રથો જે પણ ગામમાં જાય છે ત્યાં ગ્રામજનો દ્વારા ઉમળકાભેર રથનું સ્વાગત કરાઇ રહ્યું છે. પરંપરાગત પદ્ધતિથી કકું, તિલક અને શ્રીફળ સાથે રથનું સ્વાગત કરાયુ હતું. તેમજ રથ સાથે દર્શાવવામાં આવતી વિકાસ ફિલ્મને રસપૂર્વક લોકો નિહાળતા હતા. ગ્રામજનો મોટી સંખ્યામાં વંદે ગુજરાત વિકાસ યાત્રામાં સહભાગી થઇ રહ્યાં છે. વંદે ગુજરાત વિકાસ યાત્રા ઝાલોદના વિવિધ ગામોમાં પહોંચી હતી. જયાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું ધામધુમ સાથે સ્વાગત કર્યુ હતું. અહીં યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થી નાગરિકોને લાભની વહેચણી કરાઇ હતી. લોકોને પોતાના ગામમાં જ વિવિધ યોજનાઓના લાભો મળતા તેઓ ખુશખુશાલ થયા હતા.
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરાયો છે ત્યારે દાહોદમાં આગામી તા. ૧૯ જુલાઇ સુધી જિલ્લામાં વિકાસ યાત્રાના રથ વિવિધ ગામોમાં યોજનાકીય લાભો પહોંચાડી રહ્યાં છે. તેમજ રાજ્યે છેલ્લા બે દાયકામાં કરેલી વિકાસ યાત્રાની ગાથા પણ ગ્રામજનો સુધી પહોંચી રહી છે. કાર્યક્રમમાં ઝાલોદ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ, સંકલિત બાળ વિકાસ યોજના ના કર્મચારીઓ તાલુકા પંચાયતના કર્મચારીઓ આસપાસના વિસ્તારના સરપંચો તાલુકા સભ્યો જિલ્લા સભ્યો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.