દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ જૈન દેરાસર માં આજે તા.૧૨/૦૨/૨૦૨૩ ને રવિવારના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતા ધજારોહણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમા નગરમા વાજતે ગાજતે ભવ્ય શોભા યાત્રા કાઢવામા આવી હતી. શોભાયાત્રામા જૈન સમાજ સહિત મોટી સંખ્યામા નગરજનો જોડાયા હતા. આજે જૈન દેરાસર પર પાંચમી ધજા મુંબઈના જૈન પરિવાર દ્વારા ચઢાવવામા આવી હતી. અને હવે આજીવન ફતેપુરા જૈન દેરાસર પર શ્રીમતિ સોનલબેન રાકેશભાઈ ના પરિવાર દ્વારા ધજા રોહણ કરવામા આવશે તેવી જાહેરાત જય મારાસા કરવામા આવી હતી સાથે શ્રી આદિનાથ શ્વેતાબંર મૂર્તિ પુજક જૈન શ્રી સંઘ ફતેપુરા દ્વારા મહા પ્રસાદ નુ આયોજન રાખવામાં આવ્યુ હતું જેનો ગ્રામજનોએ લાભ લીધો હતો.
ફતેપુરામાં જૈન મંદિરને પાંચ વર્ષ પૂર્ણ થતા ધજારોહણનું કરવામાં આવ્યું આયોજન
RELATED ARTICLES