વિરમગામ નજીક રામપુરાના ભામાશાએ ભક્તોને લ્હાણી આપી સન્માન કર્યું

0
56

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

વિરમગામ નજીક ચુંવાળ પંથક રામપુરા ગામે ભામાશા કુંવરજી ઠાકોર દ્વારા સમગ્ર શ્રાવણ માસમાં ઘૂન કરી રહેલા ભક્તોને લાહ્ણી આપી સન્માન કરવામાં આવ્યું હતું. ચુંવાળ પંથકના રામપુરા ખાતે હનુમાનજીના મંદિરે છેલ્લા 4 વર્ષથી શ્રાવણ માસમાં 3 કલાક સુધી ઘૂનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે કુંવરજી ઠાકોર પરીવાર દ્વારા 4 થી વઘુ લકઝરીમાં સૌરાષ્ટ્ર અને ઘાર્મિક સ્થાનોનો પ્રવાસ ગોઠવવામાં આવે છે. તેમજ અહી ગોકુળ આઠમમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. શ્રાવણ માસમાં સમગ્ર મહીનામાં ઘૂનમા હાજર રહીને ભક્તિ કરનાર 300 થી વઘુ ભાવીકભક્તોનું લ્હાણી આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મહીલાઓને સાડી તેમજ પુરૂષોને કપડાની લ્હાણી આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે  કુંવરજી ઠાકોર પરીવાર દ્વારા કાયમ સમાજ સેવા તેમજ લોકહિતના કાર્યો કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here