Friday, July 17, 2026
Google search engine
HomeOur Government - આપણી સરકારદાહોદ જિલ્‍લામાં મુવાલીયા ખાતેથી રવિકૃષિ મહોત્સવનો પ્રારંભ રાજય સરકાર દ્વારાયોજાતા કૃષિ મહોત્સવોના...

દાહોદ જિલ્‍લામાં મુવાલીયા ખાતેથી રવિકૃષિ મહોત્સવનો પ્રારંભ રાજય સરકાર દ્વારાયોજાતા કૃષિ મહોત્સવોના કારણે ખેડૂતોએ આર્થિક સધ્ધરતા પ્રાપ્‍ત કરી છે :

Picture 001

       logo-newstok-272 Keyur Parmar – Dahod

રવિકૃષિ મહોત્સવના માર્ગદર્શન દ્રારા રવિ સિઝનમાં પડતી સમસ્‍યાઓ ખેડૂત નિવારી શકશે

  • રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ

  • રાજય સરકાર દ્રારા આજથી પાંચ દિવસ માટે રવિ કૃષિ મહોત્સવોનો પ્રારંભ થયો છે. દાહોદ જિલ્‍લામાં દાહોદ તાલુકાના મુવાલીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાજયના મત્સ્‍યોધોગ, વન-પર્યાવરણ રાજયમંત્રી બચુભાઇ ખાબડના વરદ હસ્‍તે દિપ પ્રાગટય સાથે રવિકૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે બચુભાઇ ખાબડ ખાબડે જણાવ્યું હતું કે રાજયના તત્કાલીન મુખ્ય મંત્રી અને હાલના દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ જોયું કે અર્થતંત્રમાં મોટો હિસ્‍સો ખેડૂતોનો છે. તેમ દૃઢ નિશ્વય સાથે ખેડૂતોને ખેતી લક્ષી યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી કૃષિ મહોત્સવો પ્રથમવાર દેશમાં ગુજરાતમાં ૨૦૦૨-૨૦૦૩ માં શરૂ કરવામાં આવ્યા. ધોમધખતા તાપમાં સતત એક મહિનો કૃષિ તજજ્ઞો-અધિકારીઓ ખેડૂતના ખેતર સુધી પહોંચી ખેતલક્ષી માર્ગદર્શન, સાધન સહાય પૂરાં પાડવામાં આવ્યા. ગતિશીલ ગુજરાતના પ્રણેતા શ્રીમતી આનંદીબેન પટેલે એક કદમ વધારી ખેડૂતો માટે રવિ કૃષિ મહોત્સવનું ગત વર્ષથી આયોજન કર્યું. તેનો મુખ્ય હેતુ રવિ સિઝનના પાકમાં પડતી જીવાતો, આધુનિક બિયારણો, પ્રમાણસર ખાતરનો ઉપયોગ, સાધન સહાય, ચોકકસ માર્ગદર્શન ખેડૂતોને આપવાનો છે. આ કૃષિ મહોત્સવ થકી જિલ્લાના ખેડૂતો રોકડીયા પાકો, બાગાયતી પાકો, ફુલોની ખેતી વગેરે કરતા થયા છે. અને તેઓનો આર્થિક વિકાસ થયો છે. સોઇલ હેલ્થ કાર્ડ ખેડૂતોની ખેતી માટે ખૂબ જ મહોત્વનું સાબિત થયું છે. જિલ્‍લામાં ૮૮૦૦૦ જેટલા સોઇલ હેલ્થ કાર્ડ અપાયા છે. વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ૮૦ કરોડની સહાય આપવામાં આવી છે. આણંદ કૃષિ યુનિવર્સીટી દ્રારા મુવાલીયા ફાર્મ, દાહોદ ખાતે ૧૭ કરોડના ખર્ચે કૃષિ ઇજનેરી પોલીટેકનીક શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને ઉપયોગી એવા ખેત-ઓજારો સહાયના ધોરણે પૂરા પડાયા છે.  આમ, કૃષિ મહોત્સવ થકી ખેડૂતોએ આર્થિક સધ્ધરતા પ્રાપ્‍ત કરી છે. આ જિલ્‍લાની સિંચાઇની સમસ્‍યાને દૂર કરવા માટે કડાણા આધારિત ૧૧૦ કિ.મી. પાઇપ લાઇનથી ખેડૂતોને સિંચાઇનું પાણી આપવાની યોજના મંજુર થઇ છે. જે ટુંક સમયમાં શરૂ કરાશે. જેના થકી જિલ્‍લાના ડેમો-તળાવો ચેકડેમોમાં પાણી સંગ્રહ કરી ખેડૂતોને સિંચાઇનું પાણી પુરૂ પાડશે. નરેગા યોજના હેઠળ કુવા ઉંડા કરવા, નવા બનાવવાની યોજના પણ ખેડૂતો માટે આયોજન કરવામાં આવી રહયું છે. ત્યારે તજજ્ઞો-નિષ્ણાતો દ્વારા અપાતા માર્ગદર્શન ખેડૂત પોતાના ખેતર સુધી પહોંચાડશે તો ચોકકસ ફાયદો થશે સાથે આઇ પોર્ટલનો લાભ લેવા શ્રી ખાબડે જણાવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત રાજય અલ્પ સંખ્યા નાણા નિગમના અધ્યક્ષ  સુફી સંત બાબાએ પ્રાસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે પહેલા ગુજરાત માત્ર ઔધોગિક ક્ષેત્રે જ પ્રગતિ કરતું હતું. પરંતુ રાજયમાં આ કૃષિ મહોત્સવનો-રવિ કૃષિ મહોત્સવો યોજાતા, ખેડૂતોને અધતન-વૈજ્ઞાનિક ખેત પધ્ધતિ, સુધારેલા બિયારણો વાપરવા, કિસાનોનું સન્માન વગેરે નવતર અભિગમો રાજય સરકાર દ્રારા અપનાવતાં ખેડૂતોની અર્થિક સધ્ધરતા વધી છે. કૃષિ વિકાસ દર ૩.૩ ટકાથી ૧૧ ટકા સુધી વધ્યો છે. નર્મદા ડેમની ઉંચાઇ વધતાં છેક  સૈારાષ્‍ટ-કચ્છ સુધી પાણી પહોંચ્યું છે. તેના થકી વચ્ચે આવતા વિસ્‍તારનો પીવાના પાણી સાથે સિંચાઇની સુવિધા પ્રાપ્‍ત થઇ છે. રાજય સરકાર દ્રારા યોજાતા કૃષિ મહોત્સવો ખેડૂતો માટે સાર્થક થયા છે. ખેડૂતો જાગૃત થઇ હજુ વધારે લાભ લેવો જોઇએ એમ શ્રી સુફી સંત બાબાએ જણાવ્યું હતું.

જિલ્‍લા વિકાસ અધિકારી સતિષ પટેલે પ્રાસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે દાહોદ જિલ્‍લામાં કૃષિ મહોત્સવોને સફળતા મળી છે. ખેડૂતો બાગાયતી ખેતી, ટપક સિંચાઇ પધ્ધતિ, રોકડીયા પાકો, અધતન ખેતી, ફુલોની ખેતી કરતા થયા છે. જિલ્‍લામાં કૃષિક્રાંતિ સાથે શ્વેતક્રાંતિ પણ આવી છે. જેનું શ્રેય મેળામાં મળતા તજજ્ઞોના માર્ગદર્શનને ફાળે જાય છે.  જિલ્‍લાનો કૃષિ વિકાસ દર ઝડપથી વધ્યો છે.સ્થાળાંત્તર પણ ઘટ્યું છે.

મંત્રી તથા મહાનુભાવોના હસ્તે  કૃષિલક્ષી વિવિધ યોજનાના ચેકોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેતી લક્ષી, પશુપાલન, ટપકસિંચાઇ પધ્ધતિ તથા જુદી જુદી સરકારી યોજનાના ૨૦ જેટલા પ્રદર્શનસ્‍ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સ્‍વાગત પ્રવચન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ખેતીવાડી અધિકારી બચુભાઇ ખાબડએ તથા આભાર વિધિ- સંચાલન નાયબ મામલતદારશ્રી રમેશભાઇ પરમારે કરી હતી.

કાર્યક્રમમાં ધારાસભ્ય વજુભાઇ પણદા, ચંન્દ્રિકાબેન બારીયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી નિકુંજ મેડા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સંયુકતાબેન, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના આચાર્ય ઉમેશ પટેલ, કૃષિ તજજ્ઞો, કૃષિ વિભાગના અધિકારીઓ, સરપંચો મોટી સંખ્યામાં ખેડૂત ભાઇ બહેનો  વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hosting Server Connect Timeout

HTTP 502 — Unable to Connect to the Origin Server

Please try again in a few minutes
You
Sucuri Firewall
Hosting Timeout
Error Details:
  • Error Code: HTTP 502
  • Error Message: Backend or gateway connection timeout.
  • Server ID: 11017
What's going on?
  • Origin server might be down
  • Sucuri Network blocked by Origin Firewall

What can I do to fix it?

If you are just visiting the site, just wait a bit and it should be back soon. We apologize for the inconvenience.

If you own the web site, please verify with your hosting company if your server is up and running and if they have our firewall IPs whitelisted. Please wait a few minutes and try again. If the problem persists, open a ticket on our support page https://support.sucuri.net and we will assist with troubleshooting.

1