દાહોદ, પંચમહાલ તેમજ મહીસાગર જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસોમાં સોમવારથી “હર ઘર તિરંગા” અભિયાનના ભાગરૂપે નજીવા ભાવે રાષ્ટ્રધ્વજનુ થશે વેચાણ

0
150

દાહોદ, પંચમહાલ તેમજ મહીસાગર જિલ્લાની તમામ પોસ્ટ ઓફીસોમાં સેલ્ફી પોઇન્ટ ઊભા કરાયા છે.

દાહોદ, પંચમહાલ તેમજ મહીસાગર જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસોમાં સોમવાર તા.૦૧/૦૮/૨૦૨૨ થી તા.૧૫/૦૮/૨૦૨૨ સુધી “હર ઘર તિરંગા” અભિયાન ના ભાગરૂપે રૂ.૨૫/- ના નજીવા ભાવે રાષ્ટ્રધ્વજનુ વેચાણ ચાલુ કરવામા આવશે. સાથે સાથે દરેક પોસ્ટ ઓફિસોમાં એક સેલ્ફી બોર્ડની વ્યવસ્થા પણ કરવામા આવી છે. જેમા દરેક નાગરીક પોતાની ઇચ્છાનુસાર સેલ્ફી લઇને પોતાના સોશિયલ મીડિયા પર #Har Ghar Tiranga#India Post 4 Tiranga સાથે અપલોડ કરી શકશે. તો આ સેવાનો લાભ લેવા માટે તમારી નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવા નાગરિકોને જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here