દાહોદ શહેર અને જિલ્લામાં તમામ વાણિજ્યક પ્રવૃત્તિને રવિવારે રજા રહેશે

0
71
દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાથી વાણિજ્યક પ્રવૃત્તિને છૂટછાટ આપવામાં આવી છે અને તે જાહેરનામામાં સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે આવી પ્રવૃત્તિને રવિવારે એક દિવસ રજા રાખવાની છે.
ગ્રામ પંચાયતો અને નગર પાલિકા રવિવારના દિવસે માર્કેટમાં સેનિટાઇઝેશનની કામગીરી કરી શકે એ માટે રવિવારે રજા રાખવાનો આદેશ કર્યો હોવાનું જણાવતા જિલ્લા કલેક્ટરએ ઉમેર્યું કે, અતિઆવશ્યક વસ્તુઓ જેમ કે દૂધનું વિતરણ રવિવારે કરી શકાય પણ, કિરાણા સ્ટોર, શાકભાજી સહિતની બાબતોના વેપાર રવિવારે બંધ રાખવાના છે. સતત પૂછાતા પ્રશ્નોના જવાબમાં દાહોદ જિલ્લા કલેક્ટરએ આ મુજબ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here