Monday, February 17, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા મહાવીર જયંતીની ઉજવણી કરવામાં આવી

દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા મહાવીર જયંતીની ઉજવણી કરવામાં આવી

દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા દાહોદ ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર થી ભવ્ય શોભા યાત્રા કાઢી હર્ષો ઉલ્લાસ સાથે મહાવીર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

દાહોદ શહેર ખાતે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા મહાવીર જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં વહેલી સવારે ૦૬:૩૦ કલાકે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી અને ત્યાર પછી સવારે ૦૮:૧૫ કલાકે ચિંતામણી દેરાસર ખાતે શ્રી સ્નાત્ર પૂજા ભણવામાં આવી હતી અને પછી

સવારે ૦૯:૧૫ કલાકે શોભાયાત્રા દાહોદ ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરથી નીકળી હતી જેમાં વિવિધ ઝાંખી જેમાં ભૂલકાઓ સાયકલ ઉપર વિવિધ પ્લે કાર્ડમાં ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશો સાથે શોભાયાત્રામાં જોડાયા હતા અને ભગવાન મહાવીર સ્વામીને રથમાં બિરાજમાન કરી આ યાત્રા દોલતગંજ બજાર થી ગાંધી ચોક અને ત્યાંથી નેતાજી બજાર થઈ હનુમાન બજાર થી મંદિર પરત ફરી હતી અને ત્યારબાદ ૧૦:૩૦ કલાક થી દેરાસરમાં પંચકળ્યાંક પૂજા ભણાવવામાં આવી હતી અને પછી શ્રી સીમંધર જૈન દેરાસર ખાતે શકળ શ્રી સંઘનું સ્વામી વાત્સલ્ય (પ્રસાદી) રાખવામાં આવ્યું હતું અને

બપોરે અંધજન શાળા, ગૌશાળામાં ગાયો ને ગોળ ખવડાવ્યો હતો અને હોસ્પિટલોમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારે પછી ફરી સાંજે સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments