ફતેપુરાનાં સુખસરની નૂતન વિદ્યાલય ખાતે ધોરણ – ૧૦ અને ૧૨ની પરીક્ષાને અનુલક્ષીને શિક્ષકો અને આચાર્યોની મીટીંગનું થયું આયોજન

0
5

દાહોદ જિલ્લાનાં ફતેપુરા તાલુકાનાં સુખસર ગામની નૂતન વિદ્યાલય ખાતે ધોરણ – ૧૦ અને ૧૨ની પરીક્ષાને અનુલક્ષીને શિક્ષકો અને આચાર્યોની મીટીંગનું થયું આયોજન.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી S.S C. અને H.S.C. ની પરીક્ષા તા.૧૪/૦૩/૨૦૨૩ થી તા.૨૯/૦૩/૨૦૨૩ દરમિયાન યોજાનારા છે. આ પરીક્ષાઓમાં ફતેપુરા તાલુકાના એલ.બી. કટારા બિલ્ડીંગ કંડકટર (સ્થળ સંચાલક) અલ્કેશ આર. પ્રજાપતિ, આચાર્ય ઝાલાની અધ્યક્ષતામાં ગ્રાન્ટેડ શાળાના અને પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્યોની મીટીંગ યોજવામાં આવી હતી

અલ્કેશ આર. પ્રજાપતિ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં બોર્ડના નિયમોનું પાલન કરવા અને બોર્ડની પરીક્ષાની ગંભીરતાને સમજી તટસ્થ ડ્યુટી કરવા માટે સૂચનો કર્યા હતા સાથે સાથે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ના થાય તેને સંપૂર્ણ જવાબદારી ખંડ નિરીક્ષકે રાખવાની રહેશે સાથે સાથે પરીક્ષાના સમયે જે દૂષણો ચાલે છે તે દૂષણો ઉપર કટાક્ષ કરી કોઈ પણ પ્રકારની ગેરરીતિઓ ના થાય તેના ઉપર ભાર મૂક્યો હતો

તેમજ દરેક બાબતોને ધ્યાન આપી વ્યવસ્થિત રીતે પરીક્ષા લેવાય તે માટે સલાહ અને માર્ગદર્શન આપ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને પ્રેમથી સમજાવી ટોર્ચર ના થાય તેવી રીતે પરીક્ષામાં બેસવા માટે સમજાવવા માટેની રજૂઆતો કરી હતી  વધુમાં S.S C. અને H.S.C પરીક્ષાઓ વિના વિઘ્ને પૂર્ણ થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here