ગાયત્રી પરિવારના સંતો – મહંતોના હસ્તે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સંપન્ન થશે.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સલારા ગામે રામ દરબાર (ભગવાન શ્રીરામ, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજી) ની પ્રતિમાઓની પ્રતિષ્ઠાનો દ્વી દિવસીય કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ કરી ભગવાન શ્રીરામની પ્રતિમાઓ શાસ્ત્રોક વિધિ પ્રમાણે પૂજન વીધી કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે આ બે દિવસ દરમિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે રામ ભક્તો દ્વારા ફતેપુરા નગરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. જ્યારે આવતી કાલે એટલેકે બીજા દિવસે ગાયત્રી પરિવારના સંતો – મહંતોની ઉપસ્થિતિમાં હવન પૂજન કરી ભગવાન શ્રીરામ સહિત રામ દરબારની પ્રતિમાઓનું વિધિવત રીતે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. જેને લઈને સલારા ગામ સહિત ફતેપુરામાં ભક્તિમય માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે.