દાહોદ જિલ્લાના મંગલ મહુડી રેલ્વે સ્ટેશન નજીક માલગાડીના 16 ડબ્બા સરી પડ્યા હતા, જેના કારણે મુંબઈ – દિલ્હી મેઈન લાઈન અપ અને ડાઉન બંને બાધિત હતી. જે આજે તા.૧૯/૦૭/૨૦૨૨ ને મંગળવારના રોજ 36 કલાક બાદ બંને લાઈન શરૂ કરવામાં આવી છે. અને 09013 ઉધના – બનારસ પહેલી ટ્રેન જે પાસ થઈ ગઈ છે અને દેહરાદૂન એક્સપ્રેસ કે જે મુંબઈ જશે તેને હવે પાસ કરી આ લાઈન ઉપર મોકલવામાં આવી હતી, પરંતુ હાલ પૂરતું માત્ર 20 કી.મી ની ઝડપે ટ્રેનો અપ અને ડાઉન ટ્રેક ઉપરથી પાસ કરશે અને પછી ધીરે ધીરે રેગ્યુલર સ્પીડ કરવામાં આવશે. અન્ય ડાઈવર્ટેડ ટ્રેનોને પણ ધીરે ધીરે સમયનું કોષ્ટક ગોઠવી ફરીથી આ મેઈન લાઈન ઉપરથી પાસ કરવામાં આવશે. તેવું રેલ્વેના અધિકારીએ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું. જ્યારે હજી બીજી લાઈન શરૂ કરવા માટે ટીમોએ દિવસ રાત કામ કરી અને વહેલી તકે લાઈન રિસ્ટોર કરી હતી.
મંગલ મહુડી નજીક ૩૬ કલાકથી બંધ મુંબઈ – દિલ્હી રેલ્વે લાઈન પુનઃ શરૂ
RELATED ARTICLES