દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં કોરોનાની હાલની પરિસ્થિતિ જોતા દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે તેને ધ્યાને લઇને સેનીટાઇઝ કરવા માટે મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતેથી બંબો બોલાવવામાં આવ્યો હતો અને કન્ટેઇનમેન્ટ ઝોન – ૧ અને ઝોન – ૨ માં તેનો છંટકાવ કરવામાંં આવ્યો હતો. અને ડેપ્યુટી કલેક્ટર, Dy. S. P. જાદવ, તાલુકા મામલતદાર, T. D. O., P.S.I. સી.બી. બરંડા દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન માં સાવચેતીના ભાગ રૂપે સ્થળ ઉપર જઈને ત્યાંના રહીશોને પોતાના ઘરોની બહાર ન નિકળવા કે ફરવા તેમજ માસ્ક પહેરી રાખવા અને આરોગ્ય વર્ધક ઉકાળો આપે છે તે પીવો અને આયુર્વેદિક ગોળીઓનું પણ સેવન કરવું તેવી સલાહ આપી હતી. ગામ પંચાયતના સરપંચ કચરુભાઈ અને મનોજભાઈ તેમજ P.S.I. સી.બી. બરંડા દ્વારા બંને ઝોન અને આખા બજારમાં સેનેટાઈઝર નો છંટકાવ કરી અને આરોગ્ય વર્ધક ઉકાળાનો બંને ઝોનમાં વેચાણ કરવામાં આવ્યું હતું
દાહોદ જિલ્લાના ફતેપુરામાં વધતા જતા કોરોનાના કેસોને લઈને ગામમાં ઉકાળાનું વિતરણ અને સેનેટાઇઝ કરવામાં આવ્યું
RELATED ARTICLES