સંજેલીમાં ભગવાન શ્રી વિશ્વકર્માની જન્મ જયંતિની રંગેચંગે ભવ્ય ઉજવણી કરવામાં આવી

0
75

FARUK PATEL – SANJELI

 

 

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં મુખ્ય મથક સંજેલીના પુષ્પસાગરના કિનારે આવેલ ભગવાન શ્રી વિશ્વકર્મા મંદિરથી પંચાલ સમાજ દ્વારા ભગવાન શ્રી વિશ્વકર્માની શોભાયાત્રા સમગ્ર સંજેલી નગરમાં નિકલવામાં આવી હતી અને રંગેચંગે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પંચાલ સમાજના આગેવાનો, ભાઈ બહેનો, બાળકો, યુવાનો આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા સંજેલી નગરના મુખ્ય રાજમાર્ગો ઉપર વાજતે ગાજતે ફર્યા બાદ મંદિરે પરત પહોચી હતી. અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here